મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વધુ વ્યાપક બનેલાં કોરોના વાયરસના સંક્રમણ ની સ્થિતિમાં રાજકોટ જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર તેમજ પ્રભારી વરિષ્ઠ અધિકારી રાહુલ ગુપ્તા સાથે મુખ્યમંત્રી નિવાસ સ્થાને થી વિડિયો કોન્ફરન્સ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે આ વિસ્તારમાં રોગચાળો અટકાવવાના પગલાંઓ સઘન બનાવવા સૂચનાઓ આપી હતી. અને અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ વીડિયો કોન્ફરન્સ માં મુખ્યસચિવ અનિલ મુકીમ પોલીસ મહા નિદેશક શિવાનંદ ઝા તેમજ ગૃહ વિભાગના અધિ મુખ્યસચિવ પણ ગાંધીનગર મુખ્યસચિવ કાર્યાલય થી જોડાયા હતા.

 

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment